પસંદ થયેલ તીર્થગામને રાજ્ય સરકાર રૂ. એક લાખનું પ્રોત્સાહક અનુદાન આપે છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.
નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્સાહક યોજના.
યોજના હેઠળ ગામની પસંદગી માટેનાં ધોરણો
આ યોજનાનું સંચાલન જીલ્લા કક્ષાએ જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવે છે. જીલ્લા કક્ષાએ આ અંગેની સમિતિનું ગઠન કરવામાં આવેલ છે. તીર્થગામ પસંદ કરવા માટે પસંદગીના ધોરણો નક્કી કરી માર્કીંગ સીસ્ટમ દાખલ કરેલ છે.
આ યોજનામાં લક્ષ્યાંક નિર્ધારિત નથી. છેલ્લા પાંચ વર્ષની ગુનારહિત પરિસ્થિતિ વિગેરેની ખરાઇ કરી સબંધિત ગ્રામપંચાયતને પુરસ્કાર આપવાનું ધોરણ છે.